મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના વાંકડા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીના વાંકડા નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચી માંડલથી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતકના પિતા દ્વારા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ સોરઠ પોલીફેબ એલએલપી નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો શિવાકાંત અજયકુમાર ત્રિપાઠી (18) નામનો યુવાન નીચી માંડલ થી વાંકડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો. દરમિયાન અકસ્માતે તે નર્મદાના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેના બોડીને કેનાલમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પિતા અજયકુમાર શ્રીરાજકુમાર ત્રિપાઠી (44) રહે. અહેમદગંજ વિસ્તારમાં રામનગર કોલોની ફતેપુર યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ પાસેથી બાઈકમાં બેસીને દર્શન ભરતભાઈ બાલાસરા (14) રહે. ભરતનગર વાળો જઈ રહ્યો હતો ત્યારે અકસ્મતે બાઈક સ્લીપ થતા દર્શનને ઇજાઓ થઈ હતી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

ટંકારામાં રહેતા પ્રભાબેન મોહનભાઈ (60) અને ભાનુબેન પ્રકાશભાઈ પરમાર (30) નામના બે મહિલાઓને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તે બંને મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જોકે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે.






Latest News