મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીની સોમનાથ સોસાયટીમાં પરીણીતા-શોભેશ્વર રોડે યુવાને જીવન ટુકાવ્યું


SHARE











મોરબીની સોમનાથ સોસાયટીમાં પરીણીતા-શોભેશ્વર રોડે યુવાને જીવન ટુકાવ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસના ફ્લેટમાં રહેતા મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આવી જ રીતે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની બાજુમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બંન્ને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળના કાર્યવાહી કરેલ છે.

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોમનાથ સોસાયટીમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 704 માં રહેતા મિતાલીબેન તેજસભાઈ ભુવા જાતે પટેલ ઉમર (33) એ પોતાના જ ઘરની અંદર બેડરૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં પેનલ ડોક્ટર મારફતે પીએમ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ આ બનાવની રમેશભાઈ અમરશીભાઈ દેસાઈ રહે.હળવદ વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની આગળની વધુ તપાસ પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હતો જો કે તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે ? તે દિશામાં તપાસ ચાલી રહી છે.

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ પાણીના ટાંકાની બાજુમાં રહેતા મુકેશભાઈ બાબુભાઈ દેવીપુજક (32) એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે.આ બનાવની આગળની વધુ તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે ? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News