મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


SHARE







વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરવામાં આવેલ હોય 600 કિલો કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 3.60 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા કારખાનેદાર દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાઘપર પીલુડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ તપોવન રેસીડેન્સીમાં કશ્યપ પેલેસ બ્લોક નં- 702 માં રહેતા પાર્થભાઈ અનિલભાઈ લોરીયા જાતે પટેલ (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના તેના કારખાનામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. અને 400 મીટર જેટલો કોપર વાયર જેની વજન 600 કિલોગ્રામ થાય છે અને તેની કિંમત 3.60 લાખ થાય છે તે કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં છરી મારીને ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર પાસે આવેલ વી-સ્ટાઇલ નામના કારખાનાની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના રહેવાસી તવાઈસિંગ લખુસિંગ ચૌહાણ (19) નામના યુવાનને છરી વડે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જનકસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News