ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાંથી 3.60 લાખના 600 કિલો કોપર વાયરની ચોરી


વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનામાંથી કોપર વાયરની ચોરી કરવામાં આવેલ હોય 600 કિલો કોપર વાયરની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 3.60 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા કારખાનેદાર દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાઘપર પીલુડી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ તપોવન રેસીડેન્સીમાં કશ્યપ પેલેસ બ્લોક નં- 702 માં રહેતા પાર્થભાઈ અનિલભાઈ લોરીયા જાતે પટેલ (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામના તેના કારખાનામાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. અને 400 મીટર જેટલો કોપર વાયર જેની વજન 600 કિલોગ્રામ થાય છે અને તેની કિંમત 3.60 લાખ થાય છે તે કોપર વાયરની ચોરી કરવામાં આવેલ છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં છરી મારીને ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર પાસે આવેલ વી-સ્ટાઇલ નામના કારખાનાની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના રહેવાસી તવાઈસિંગ લખુસિંગ ચૌહાણ (19) નામના યુવાનને છરી વડે ઇજા કરવામાં આવી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જનકસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.






Latest News