મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

હળવદમાં એસટીની બસમાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે 24 બોટલ દારૂ કબજે કર્યો


SHARE











હળવદમાં એસટીની બસમાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે 24 બોટલ દારૂ કબજે કર્યો

ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂની હેરાફેરી કરવા માટે થઈને જુદા જુદા રસ્તા બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતા હોય છે દરમિયાન હળવદની સરા ચોકડી પાસેથી પસાર થતી એસટી બસમાં મુસાફરની જેમ બેઠેલા શખ્સની પાસે દારૂની 24 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 8,400 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વાહનોમાં ચોરખાના બનાવીને તેમજ વાહનોમાં અન્ય વસ્તુઓની આડમાં દારૂમાં જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે આટલું નહીં પરંતુ એસટી બસની અંદરથી પણ ઘણી વખત દારૂના જથ્થા પકડાયા છે તેવી જ રીતે હળવદ શહેરમાં સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલ એસટી બસમાં મુસાફરની જેમ બેઠેલા શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસે તેને ચેક કર્યો હતો ત્યારે એસટી બસમાં મુસાફરની જેમ બેઠેલા શખ્સ પાસેથી દારૂની 24 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 8,400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી માનવ ઉર્ફે કાનો પ્રવિણભાઇ સોરીયા જાતે પટેલ (21) રહે. ઘૂટું તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી. તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

મહિલા સારવારમાં

મોરબીની પંચાસર ચોકડી નજીક ઝૂંપડામાં રહેતા સુશીલાબેન પપ્પુભાઈ નીનામા (40) નામની મહિલા કોઈ કારણોસર પોતે ઘરે હતી ત્યારે ત્યાં ખળમાં નાખવાની દવા પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ એમ.એચ.વાસાણી દ્વારા કરવામાં આવી હતી






Latest News