મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી-વાંકાનેરના ભાવિ વિકાસનો રોડમેપ; MW-UDA અંતર્ગત ‘વિકાસ યોજના-૨૦૪૭’ ની કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના રામકૃષ્ણનગરમાં સગીરાનું અપહરણ કરનારા આરોપીના ઘરને સગીરાના પરિવારજનોએ સળગાવી નાખ્યું હતું જેની ફરિયાદ આધરે પકડાયેલ આરોપી પૈકીનાં બે મહિલા આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને બે મહિલા આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે

મોરબી બી સિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, આરોપીની સગીર વયની દીકરીને આ કામના ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હતો અને તેઓ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયેલ હતા જેથી આ બાબતનો ખાર રાખીને બંને અરોપીઓએ ફરીયાદીના ઘરે આવીને ત્યાં આગ લગાડી દીધેલ હતી. જેમાં ફરીયાદીના ધરનો સામાન સળગી ગયેલ છે અને નુકશાની થયેલ છે. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં કરી હતી.

જે બે મહિલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેને દલીલ કરી હતી કે, આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જુદાજુદા ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને બંને આરોપીઓને ૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.






Latest News