મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં ઘર સળગાવી નાખવાના પ્રકરણમાં બે મહિલા આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના રામકૃષ્ણનગરમાં સગીરાનું અપહરણ કરનારા આરોપીના ઘરને સગીરાના પરિવારજનોએ સળગાવી નાખ્યું હતું જેની ફરિયાદ આધરે પકડાયેલ આરોપી પૈકીનાં બે મહિલા આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને બે મહિલા આરોપીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે

મોરબી બી સિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, આરોપીની સગીર વયની દીકરીને આ કામના ફરીયાદીનો દીકરો ભગાડી ગયેલ હતો અને તેઓ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયેલ હતા જેથી આ બાબતનો ખાર રાખીને બંને અરોપીઓએ ફરીયાદીના ઘરે આવીને ત્યાં આગ લગાડી દીધેલ હતી. જેમાં ફરીયાદીના ધરનો સામાન સળગી ગયેલ છે અને નુકશાની થયેલ છે. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં કરી હતી.

જે બે મહિલા આરોપીઓને પકડવામાં આવ્યા હતા તેના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તેને દલીલ કરી હતી કે, આરોપી તદન નીર્દોષ છે. આરોપી કુટુંબ કબીલા વાળા માણસો છે. ખોટી રીતે ગંભીર પ્રકારના ગુનામાં સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપીએ સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી. આરોપીઓને પ્રી ટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જુદાજુદા ચુકાદાઓ રજૂ કર્યા હતા તેને ધ્યાને બંને આરોપીઓને ૪૦,૦૦૦ ના શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના વકીલ દીલીપ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, રવી ચાવડા, કુલદિપ ઝીંઝુવાડીયા, ઉષા બાબરીયા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.






Latest News