મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત


SHARE











મોરબીના ચરાડવા ગામ પાસે વાહન અકસ્માતમાં યુવાનનું મોત, સાપ કરડી ગયા બાદ સારવારમાં રહેલ બાળકનું મોત

 

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બે જુદાજુદા બનાવોમાં બે લોકોના મોત થયા છે.જેમાં એક યુવાનનું તથા એક બાળકનું મોત થયાના બનવો બનેલા હોય હાલ પોલીસે બનાવોની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.મળતી માહિતી પ્રમાણે હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનનું વાહન અકસ્માતમાં માથાના ભાગે થયેલ ઇજામાં મોત નિપજયુ હતું. જ્યારે હળવદના ખોડ ગામની સીમમાં રહીને મજૂરી કામ કરતા આદિવાસી પરિવારના આઠ વર્ષના બાળકને સાપ કરડી ગયા બાદ સારવાર માટે ખસેડાયો હતો.જયાં સારવાર દરમિયાન તે બાળકનું પણ મોત નીપજ્યું હતું.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા દિનેશભાઈ સેલાભાઈ મુંધવા (ઉમર 30) નામના યુવાનને ગત તા.25 ના રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં ચરાડવા અને સમલી ગામની વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.જે બનાવને પગલે તેનું મોત નીપજ્યું હતું અને ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.જેથી બનાવ અંગે પ્રાથમિક તપાસ કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્રારા આ બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

જ્યારે બીજો બનાવ હળવદના ખોડ ગામની સીમમાં બન્યો હતો.જેમા ગત તારીખ 25-7 ના વહેલી સવારના ત્રણેક વાગ્યાના અરસામાં ખોડ ગામની સીમ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારના સુખરામ ગંભીરભાઈ આદિવાસી નામના આઠ વર્ષના બાળકને સાપ કરડી ગયો હતો.જેથી હળવદના પીએચસી ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં તા.25 ના સવારે આઠેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન સુખરામ નામના આઠ વર્ષીય આદિવાસી બાળકનું મોત નિપજયુ હતું.જેથી સિવિલ હોસ્પિટલ ખાતેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી અને સ્ટાફના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે આગળની તપાસ માટે હળવદ પોલીસમાં બનાવની જાણ કરી હતી.

દવા પી જતા સારવારમાં

કચ્છના આધોઈ નજીક રહેતા ખીમજીભાઈ ગોવિંદભાઈ કોળી નામના 37 વર્ષના યુવાને ગત તા.22-7 ના રોજ ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સામખીયાળીમાં આવેલ માતૃ સ્પર્શ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાં સારવાર લીધા બાદ તેને વધુ સારવાર માટે સભાન અવસ્થામાં અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ અંગે પોલીસમાં જાણ કરાતા હાલ મોરબી એ ડિવિઝન પોલીસ મથકના એમ.એચ.વાસાણીએ પ્રાથમિક તપાસ કરી હતી.






Latest News