ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાળ: વકીલો અને અરજદારો હેરાન


SHARE











મોરબી જીલ્લાના લેન્ડ રેકર્ડ વિભાગના કર્મચારીઓની હડતાળ: વકીલો અને અરજદારો હેરાન

રાજ્યભરના લેન્ડ રેકર્ડ વર્ગ-3 અને સીટી સર્વે કચેરીના કર્મચારીઓ હડતાલ ઉપર છે જેમાં મોરબી જિલ્લાના પણ કર્મચારીઓ જોડાયેલ છે જેથી હાલમાં ઓફિસમાં કામગીરી બંધ થઈ ગયેલ છે અને વકીલો અને અરજદારોના દસ્તાવેજ સહિતના કામો ઠપ્પ થઈ ગયેલ છે. અને જો આગામી તા.31 સુધીમાં પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો હવે અચોક્કસ મુદતની હડતાળ કરવાનું કર્મચારીઓએ એલાન કર્યું છે.

ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો નથી જેથી કરીને આજે સોમવાર તા 22થી રાજ્ય ભરની લેન્ડ રેકર્ડ અને સીટી સર્વે કચેરીમાં પેનડાઉન હડતાલ શરૂ કરવામાં આવી છે જે હડતાલ આગામી તા. 31 સુધી ચાલુ રહેવાની છે અને તેમાં મોરબી જિલ્લા સહિત રાજ્યના હજારો કર્મચારીઓ જોડાયેલ છે અને મંડળના આદેશ મુજબ પેનડાઉન હડતાળમાં હાલમાં શરૂ કરવામાં આવી છે જેથી કરીને ઓફિસોમાં કામ બંધ થઈ જતાં હાલમાં મોરબી જીલ્લામાં વકીલો અને અરજદારો સહિતના હેરાન થઈ રહ્યા છે.

વધુમાં માહિતી આપતા સ્થાનિક કર્મચારીઓ જણાવ્યુ હતું કે, ગુજરાત લેન્ડ રેકર્ડ વર્ગ-3 કર્મચારી મંડળ દ્વારા જો સરકાર દ્વારા પેનડાઉન હડતાળ બાદ પણ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી તા.1 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આટલું જ નહીં તમામ કર્મચારીઓને હડતાળ દરમિયાન કચેરીનું કામ નહીં કરવા માટે મંડળ દ્વારા આદેશ કરવામાં આવેલ છે.






Latest News