ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂરી વગર બની ગયેલા મકાનોમાં વીજ જોડાણ આપવા ઉર્જા મંત્રીને ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત


SHARE











મોરબીમાં મંજૂરી વગર બની ગયેલા મકાનોમાં વીજ જોડાણ આપવા ઉર્જા મંત્રીને ગ્રાહક સુરક્ષા મંડળની રજૂઆત

મોરબીમાં શ્રમીક અને મધ્યવર્ગના લોકોને બનાવેલ નાના મકાનને લાઇટ અને પાણીની સુવિધા આપવા માટે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા અને ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના ઉર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, રાજકોટ અગ્નિકાંડ બન્યો પછી સરકારથી કડકાઇ કરે છે. તે જરૂરી છે જો કે, મોરબીમાં છેલ્લા પાંચ વર્ષથી કોઇપણ મકાન નવા બનાવવા માટે પાલીકાએ મંજુરી આપેલ નથી. હવે પરીસ્થીતી એવી છે કે, મોરબી કલેકટરે પરીપત્ર કરીને જી.ઇ.બી.ને બાંધાકમની મંજુરી વગર કનેકશન આપવા નહીં તેવો આદેશ કરેલ છે

જેથી હાલમાં શ્રમીકો અને મધ્યમ વર્ગના લોકોએ સીંગલીયા મકાન લીધા પછી વીજ કનેકશન આપવાની અધિકારી દ્વારા ના પાડવામાં આવે છે. જો છથી સાત માળની બિલ્ડીંગ હોય તો તેમાં ફાયર સેફટી જરૂરી છે. પરંતુ સિંગલિયા મકાનમાં લોકોને હેરાન કરવામાં આવે તે યોગ્ય નથી અને હાલમાં મોરબીમાં ઘણી જગ્યાએ મકાન બની ગયા છે પરંતુ વીજ જોડાણ ન મળવાના લીધે લોકોને ગરમીમાં રહેવું પડે છે. અને મધ્યમ વર્ગના લોકો હેરાન છે. તેમજ હાઇકોર્ટ પણ જણાવે છે કે, કોઇપણ વ્યકિતનું મકાન બને એટલે તેને પાણી, લાઇટની સુવિધા આપવી સરકારની ફરજ છે. જેથી તેનો અમલ મોરબીમાં કરવામાં આવે તે જરૂરી છે.






Latest News