મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના લોહાણાપરામાં વરસાદી-ગટરના પાણીથી વેપારી-રહેવાસીઓ ત્રાહિમામ


SHARE











મોરબીના લોહાણાપરામાં વરસાદી-ગટરના પાણીથી વેપારી-રહેવાસીઓ ત્રાહિમામ

મોરબીના લોહાણાપરા શેરી નંબર એક, બે અને ત્રણમાં વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાથી વરસાદી પાણી અને ગટરના પાણી તે વિસ્તારમાં ભરાયેલા છે જેથી તે વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારીઓ તથા ત્યાં રહેતા લોકોને રહેવું મુશ્કેલ બની ગયું છે અને અવારનવાર આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ વરસાદી પાણી અને ગટરના પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા આજ દિવસ સુધી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેથી વેપારીઓ સહિતના લોકો મોરબી નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે તેને ગયા હતા. જોકે, નગરપાલિકામાં અધિકારી હાજર ન હોવાથી મોરબી નગરપાલિકાનો ચાર્જ હાલમાં હળવદના પ્રાંત અધિકારીને સોંપવામાં આવેલ છે જેથી વેપારીઓ સહિતના લોકો મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં લાલબાગમાં તાલુકા સેવા સદન ખાતે હળવદ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવીને લોહાણાપરા વિસ્તારમાં વરસાદી તથા ગટરના પાણી ભરાવાની જે સમસ્યા છે તેનો વહેલામાં વહેલી તકે યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માગણી વેપારીઓ સહિતના લોકો દ્વારા કરવામાં આવી છે જોકે, નક્કર કામગીરી સ્થળ ઉપર ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News