મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જમીન-પ્લોટના પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને એક પખવાડિયાનું અલ્ટિમેટમ, નહીં તો જીગ્નેશ મેવાણી કરશે અચોક્કસ મુદતનું આંદોલન


SHARE







મોરબી જીલ્લામાં જમીન-પ્લોટના પ્રશ્નો ઉકેલવા કલેક્ટરને એક પખવાડિયાનું અલ્ટિમેટમ, નહીં તો જીગ્નેશ મેવાણી કરશે અચોક્કસ મુદતનું આંદોલન

ગુજરાતનાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય આજે પણ મોરબીમાં હતા અને તેમણે મોરબી જીલ્લામાં ગામ તળ માં 100 વરિયા પ્લોટ માટે હેરાન થતાં પરિવારોને ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. તેની સાથે માલીકીની જમીનને લાગતા પ્રશ્નો, અધિકારીનોના હુકમ પછી પણ વર્ષો સુધી ઘર વિહોણા લોકોને પ્લોટ ન આપવા સહિતના સવાલો કર્યા હતા અને મોરબીમાં કલેક્ટર તંત્ર ખાડે ગયેલ છે તેવો આક્ષેપ કર્યો હતો અને હાલમાં કરેલ રજૂઆતમાં કેટલું કામ કર્યું તેની ઉઘરાણી કરવા માટે તે એક પખવાડિયા પછી મોરબી આવશે અને જો કામ નહીં થયું હોય તો તે અહી અચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

સમગ્ર ગુજરાતમાં બનેલ ગોજારી ઘટનાઓના પીડિતોની હાલમાં કોંગ્રેસનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના આગેવાનો મુલાકાત કરી રહ્યા છે તેવામાં આજે કોંગ્રેસનાં ધારાસભ્ય સહિતના આગેવાનો તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિતના હોદેદારો મોરબીના સર્કિટ હાઉસે બેઠા હતા ત્યારે મોરબી તાલુકામાંથી જુદાજુદા ગામના અરજદારો તેમની પાસે આવ્યા હતા અને તેઓના પ્રશ્નોને સાંભળ્યા હતા ત્યારે બાદ અરજદારોને સાથે રાખીને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા.

ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગરીબોને ગામતળમાં 100 વરિયા પ્લોટ આપવામાં આવતા નથીસાથણીની જામીનમાં કૌભાંડકબ્જા વળી જામીનને લીઝમાં આપી દેવી અને જીલ્લામાં કામ કરતાં આઉટ શોર્સના કર્મચારીઓનું શોષણ થાય છે તો શ્રમ અધિકારી દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી તે સહિતના પ્રશ્નોનો તેમણે કલેક્ટર સમક્ષ ઢગલો કર્યો હતો અને કલેકટર કચેરી બહાર બે વર્ષથી પ્લોટ માટે આંદોલન કરનારા અરજદારોને કેમાં પ્લોટ આપવામાં આવતા નથી ?

આટલું જ નહીં મકનસર ગામના લોકોએ સાત મહિનાથી પ્લોટ માટે અરજી કરી છે તો તેનો નિકાલ કેમ કરતાં નથી ? ચાંચપર, કાલિકનગર, ટંકારાના નેસડા સુરજી સહિતના જમીન અને પ્લોટને લગતા પ્રશ્નો અધિકારી સામે મૂકીને તંત્ર વાહકોની કામગીરી સામે અણીદાર સવાલો કર્યા હતા અને જો આ લોકોને પ્રશ્નોનો એક પખવાડિયામાં ઉકેલ નહીં આવે તો જીગ્નેશ મેવાણી પાછા મોરબી આવશે અને અરજદારોની સાથે તે પણ આ ચોક્કસ મુદતનું આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News