હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાની લેબર કોલોનીમાં લોબીની દીવાલ ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે કારખાનાની લેબર કોલોનીમાં લોબીની દીવાલ ઉપરથી નીચે પટકાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે આવેલ લોબીમાં દિવાલ ઉપર યુવાન બેઠો હતો તે ઉપરથી નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું. જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કૈલાસ શંકરલાલ ચૌહાણ જાતે અનુ. જાતિ (34) નામનો યુવાન કારખાનામાં આવેલા લેબર કોલોનીના બીજા માળે લોબીમાં દિવાલ ઉપર બેઠેલ હતો દરમિયાન તે અકસ્માતે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને માથા અને શરીરે ગંભીર ઈજા થઈ હોવાથી તેને મોરબીની શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં રહેતો હિતેશ ધીરુભાઈ પાટડીયા (20) નામનો યુવાન મોરબી નજીક લખધીરપુર રોડના નાકા નજીક હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો અને તેમાં તેને ઇજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ યુવાનને જમણા પગના ગોઠણના ભાગે વધુ ઇજા થયેલ હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.




Latest News