મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના અપહરણ, બળાત્કાર અને પોકસોના ગુનામાં આરોપી જામીન મુક્ત


SHARE











ટંકારાના અપહરણ, બળાત્કાર અને પોકસોના ગુનામાં આરોપી જામીન મુક્ત

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે અપહરણ, બળાત્કાર, પોકસોનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પકડાયેલા આરોપીના જામીન માટેની વકીલ મારફતે અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીની જામીન મુકત કરવા હુકમ કરેલ છે

આ બનાવની વકીલ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડા રહે. રામકો સોસાયટી, ઘુટુ તાલુકો મોરબી વાળાની આઈ.પી.સી. કલમ ૩૯૩,  ૩૯૯, ૩૭૯ (૨) (જે) ૩૭૬ (૩), ૧૧૪, તથા પોકસો એકટની કલમ ૫ (એલ), , ૧૯, ૧૭ મુજબ ના ગુન્હાના કામે અટક કરી હતી અને ,મોરબીની સેશન્સ કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ આરોપીએ મોરબીના એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી અને આરોપીના વકીલ દ્વારા સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરીને ધારદાર દલીલ કરવામાં આવી હતી તેને ધ્યાને લઈને સેશન્સ જજ ડી.પી. મહીડા સાહેબે આરોપી કેતન ઉર્ફે કાનો સુખદેવભાઈ મેવાડાને ૨૫,૦૦૦ ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.




Latest News