મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

એડવેન્ચર : મોરબીના દિવ્યાંગ બાળકે પૂરી કરી કેદારનાથની યાત્રા


SHARE







એડવેન્ચર : મોરબીના દિવ્યાંગ બાળકે પૂરી કરી કેદારનાથની યાત્રા

મોરબીના મનોદિવ્યાંગ બાળક માટે તેના પિતાએ સંસાર છોડી દીધો હતો અને સાધુ સન્યાસી બની જઇને તેમના મનો દિવ્યાંગ બાળક જેવા બાળકોની મદદ કરવા માટેનો નિર્ધાર કર્યો હતો અને ત્યારબાદ મોરબીમાં આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું હતું.બાદમાં હાલ તેઓ પોતાના પુત્રને સાથે લઈને હરિદ્વાર આશ્રમમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળે છે.દરમિયાનમાં તેઓના મનો દિવ્યાંગ પુત્ર જય ઓરિયા દ્વારા સાહસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યાં માઇનસમાં તાપમાન હોય તેવી વિકટ ગણાતી ચારધામ પૈકીની કેદારનાથ યાત્રા પૂરી કરી હતી.એવું કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક જો શિવના સાનિધ્યમાં જવું હોય તો આપોઆપ આંતરિક ઊર્જાનો સંચાર થાય છે.તેવું જ ઉદાહરણ મોરબીના મનો દિવ્યાંગ જય ઓરીયાએ પુરૂ પાડયુ હતુ.જયાં ઝીરો કે માઇનસ ડિગ્રીમાં તાપમાન હોય અને તેમાં પણ અનેક પડકારો હોય તેવી કેદારનાથની યાત્રા 5 દિવસમાં પુરી કરીને કેદારનાથ ભગવાન શિવના સાનિધ્યમાં રોકાયા હતા.તેમજ પગપાળા યાત્રા કરીને ભૈરવ બાબા, મોદી ગુફા, પર્વત ઉપરનુ ટ્રેકિંગ પણ કર્યું હતુ.






Latest News