ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જસમતગઢ ગામે કારખાનાના પ્રદૂષણના લીધે ખેતર બની ગયું બંજર !: અધિકારીઓ નિંદ્રાધીન..?


SHARE











મોરબીના જસમતગઢ ગામે કારખાનાના પ્રદૂષણના લીધે ખેતર બની ગયું બંજર !: અધિકારીઓ નિંદ્રાધીન..?

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં ખેડૂતના ખેતરની બાજુની ફેક્ટરી આવેલ છે તેના દ્વારા કેમીકલયુક્ત પાણી અને પ્લાસ્ટિકનો વેસ્ટેજ ખેતરમાં ફેલાવે છે. જે પ્રદૂષણથી ખેતી બંજર બની ગઈ છે અને કોઈ વાવેતર કરેલો પાક ઉગતો નથી. તે પ્રદુષણ અટકાવવા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરીમાં ૧૧ દિવસ પહેલા રજૂઆત કરી હતી તો પણ હજુ સુધી પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ ઉપર જઈને તપાસ કરવાની પણ તસ્દી લીધેલ નથી અને વરસાદી માહોલ હોય વરસાદ પડે તો આ કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેની રાહ જોઈને તંત્ર બેઠું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મોરબીના જીવાપર ગામે રહેતા ખેડૂત પ્રાણજીવન નાનજીભાઈ કાલરીયાની જમીનમાં જસમતગઢ ગામની સીમમાં આવેલી છે. તે જમીનનાં સેઢે ગ્રેનાઈટો એલએલપી ફેક્ટરી છેલ્લા સાતેક વર્ષથી ચાલી રહી છે તે ફેક્ટરીનો પ્લાસ્ટિક વેસ્ટેજ અને કેમિકલયુક્ત પાણી ખેડૂતોના ખેતરમાં કાઢે છે. જેના પ્રદુષણના કારણે હાલ આ ખેતરમાં કોઈ વાવેતર થઈ શકતું નથી અને વાવેલો પાક ઉગતો નથી પ્રદુષણના કારણે આ જમીન બંજર બની ગઈ છે. અને ખેતરમાં નકામા છોડ નો ઉપદ્રવ વધી ગયો છે. જેથી કરીને ખેડૂતની આજીવિકા સામે સવાલ ઊભો થયેલ છે ત્યારે પ્રદૂષણ તાત્કાલિક બંધ કરાવવા મોરબી પ્રદૂષણ બોર્ડને લેખિત અરજી તા. 10/6/24 નાં રોજ કરી હતો તો પણ આજની તારીખે કોઈ અધિકારી ત્યાં તપાસ માટે પણ આવેલ નથી અને હાલ વરસાદ આવવાનો સમય થઈ ગયો છે. જો વરસાદ પડે તો કેમિકલયુક્ત પાણી ધોવાઈ જાય અને પુરાવાનો નાશ થાય તેવી શક્યતા છે તો પણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી કે કર્મચારી કેમ કામ કરી રહ્યા નથી તે સૌથી મોટો સવાલ છે.






Latest News