ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

કચ્છના કંડલાથી મોરબીના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુ પુલ બનાવવા વડાપ્રધાનને રજૂઆત


SHARE











કચ્છના કંડલાથી મોરબીના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુ પુલ બનાવવા વડાપ્રધાનને રજૂઆત

મોરબીના ઔદ્યોગિક વિકાસને ધ્યાને લઈને કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુના પુલનું નિર્માણ કરવામાં આવે તે અનિવાર્ય બનેલ છે ત્યારે આ બાબતે હાલમાં મોરબી જીલ્લામાં રહેતા સામાજિક કાર્યકર દ્વારા વડાપ્રધાનને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

મોરબી નજીકના વીરપર ગામે રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, કચ્છ જિલ્લાના કંડલા બંદરથી મોરબી જિલ્લાના નવલખી બંદર સુધીના સમુદ્ર સેતુના પુલનું નિર્માણ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, ઔદ્યોગિક શહેર મોરબી તેના સિરામિક, ઘડિયાળ, હીરા, પેપર મિલ, પોલીપેક વગેરે જેવા ઉદ્યોગો માટે વિશ્વ પ્રસિદ્ધ છે. અને વાહનવ્યવહાર ઘણો છે. ત્યારે ઔદ્યોગિક ઉત્પાદનોની વિદેશી નિકાસ અને આયાત પણ અહીથી કરવામાં આવે છે ત્યારે કચ્છ અને મોરબીમાં આ પ્રોજેકટના નિર્માણથી વાહનવ્યવહાર સરળ, ઝડપી અને સમય બનશે અને પેટ્રોલ, ડીઝલ અને ગેસની બચત થશે. જેથી કરીને સમયનું મહત્વ સૌથી વધુ કિંમતી છે. ત્યારે કંડલા બંદર ભારતમાં સૌથી લોકપ્રિય પરિવહન છે. ત્યારે આ રિવર બ્રિજથી રોડ ફોર લેન અને નવલખી બંદરનો પણ વિકાસ થશે.






Latest News