મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં વિચારતી વિમુક્ત જાતિની સરકારની વિવિધ યોજનાઓની માહિતી અંગે વર્કશોપ યોજાયો


SHARE











મોરબીમાં વિચારતી વિમુક્ત જાતિની સરકારની વિવિધ યોજનાઓની માહિતી અંગે વર્કશોપ યોજાયો

મોરબી સર્કીટ હાઉસ ખાતે દિલ્હીથી વિચરતી અને વિમુક્ત જાતિઓની સમિતિના આયોગ બોર્ડના સદસ્ય ભરતભાઇ પટણી મોરબી આવેલ હતા અને ગુજરાતના મુખ્ય જીલ્લા મથકોમાં વિમુક્ત અને વિચરતી જાતિના આગેવાનો તેમજ કાર્યકરો સાથે મળીને સંગઠથી મળતા લાભો વિશે મિટીંગ યોજી હતી અને તેમને માહિતી-માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.મોરબી જિલ્લા વિચરતી અને વિમુક્ત જાતિઓના આગેવાનો દ્વારા જુદાજુદા સામાજિક ન્યાય માટેના પ્રશ્રોની લેખીત અને મૌખિક રીતે રજૂઆતો કરવામાં આવી હતી.ભરતભાઈ પટણીની સાથે સરકારી અધિકારીઓ, સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા કલેકટરના પ્રતિનીધી મામલતદાર વાળા, સમાજ કલ્યાણ અધિકારી લાવડીયા, વિચરતી અને વિમુક્ત જાતિઓના આગેવાનો, ચુંવાળીયા કોળી સમાજ, દેવીપુજક સમાજ, વણઝારા સમાજ અને વાદી સમાજના આગેવાનો દ્વારા ભરતભાઇ પટણીનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.ચુંવાળીયા કોળી સમાજના આગેવાનો દિલીપભાઈ અગેચાણીયા (એડવોકેટ) મંત્રી મોરબી જિલ્લા બક્ષીપંચ મોર્ચો, પુર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, ત્રાજપરના પુર્વ સરપંચ અશોકભાઇ વરાણીયા, ધનજીભાઈ સંખેસરીયા, ચંદુભાઈ બાબરીયા, જગદીશભાઈ બાંભણિયા વિગેરેએ વિવિધ પ્રશ્રોની લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.






Latest News