હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં કરાયેલ રિપેરિંગ કામનું ધારાસભ્યો કરશે ચેકિંગ: સોમવારે પાણી છોડવા સરકારમાં કરાશે રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં કરાયેલ રિપેરિંગ કામનું ધારાસભ્યો કરશે ચેકિંગ: સોમવારે પાણી છોડવા સરકારમાં કરાશે રજૂઆત

મોરબી જીલ્લામાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જે અહીના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને આ નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી મોરબી જિલ્લા સુધી આવે છે તે કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે જેથી કરીને તેનું ૯ કરોડથી વધુના ખર્ચે રિપેરિંગ કરવામા આવ્યું છે ત્યારે આ રિપેરિંગ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેનું ચેકિંગ ધારાસભ્ય દ્વારા શુક્રવાર કરવામાં આવશે ત્યાં પછી જ પાણી કેનાલમાં છોડવા માટેની સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નર્મદાની કેનાલના રિપેરિંગ બદલ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે જો કે, ઢાંકીથી નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે તે માળીયા સુધી આવે તેના માટે સરકારે ૯ કરોડના ખર્ચે રિપેર કામ કરાવ્યુ છે જો કે, કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તે હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ટિકરથી ઉપરના ભાગમાં ચેક કરશે અને તેઓ ટીકરથી ઘાટીલા સુધી કેનાલનું ઈન્સ્પેક્શન કરશે અને તેની માહિતી મેળવશે અત્રે ઉલેખનીય છે કે, કેનાલ બંધ કરીને આ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને પાણી ન મળ્યું તો પણ જે સંયમ ખેડૂતોએ રાખ્યો હતો તેના માટે ધારાસભ્યએ ખેડૂતોનો પણ આભાર માન્યો હતો અને શુક્રવારે સવારે ૮:૩૦ વાગ્યે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને ભાજપના કાર્યકરો ટીકર ખાતે કેનાલ પર એકઠાં થઈને ઢાંકી સુધી આખી કેનાલને ચેક કરવા માટે જશે જેમાં ખાસ કરીને ગેટની કામગીરી, સાયફન સાફ કરવાની કામગીરી વિગેરે કેવી કરવામાં આવેલ છે તેને ચેક કરીને તેની માહિતી સરકારમાં સોમવારે આપશે પછી કેનાલમાં ઝડપથી પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવશે






Latest News