ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં કરાયેલ રિપેરિંગ કામનું ધારાસભ્યો કરશે ચેકિંગ: સોમવારે પાણી છોડવા સરકારમાં કરાશે રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં કરાયેલ રિપેરિંગ કામનું ધારાસભ્યો કરશે ચેકિંગ: સોમવારે પાણી છોડવા સરકારમાં કરાશે રજૂઆત

મોરબી જીલ્લામાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જે અહીના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને આ નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી મોરબી જિલ્લા સુધી આવે છે તે કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે જેથી કરીને તેનું ૯ કરોડથી વધુના ખર્ચે રિપેરિંગ કરવામા આવ્યું છે ત્યારે આ રિપેરિંગ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેનું ચેકિંગ ધારાસભ્ય દ્વારા શુક્રવાર કરવામાં આવશે ત્યાં પછી જ પાણી કેનાલમાં છોડવા માટેની સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નર્મદાની કેનાલના રિપેરિંગ બદલ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે જો કે, ઢાંકીથી નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે તે માળીયા સુધી આવે તેના માટે સરકારે ૯ કરોડના ખર્ચે રિપેર કામ કરાવ્યુ છે જો કે, કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તે હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ટિકરથી ઉપરના ભાગમાં ચેક કરશે અને તેઓ ટીકરથી ઘાટીલા સુધી કેનાલનું ઈન્સ્પેક્શન કરશે અને તેની માહિતી મેળવશે અત્રે ઉલેખનીય છે કે, કેનાલ બંધ કરીને આ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને પાણી ન મળ્યું તો પણ જે સંયમ ખેડૂતોએ રાખ્યો હતો તેના માટે ધારાસભ્યએ ખેડૂતોનો પણ આભાર માન્યો હતો અને શુક્રવારે સવારે ૮:૩૦ વાગ્યે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને ભાજપના કાર્યકરો ટીકર ખાતે કેનાલ પર એકઠાં થઈને ઢાંકી સુધી આખી કેનાલને ચેક કરવા માટે જશે જેમાં ખાસ કરીને ગેટની કામગીરી, સાયફન સાફ કરવાની કામગીરી વિગેરે કેવી કરવામાં આવેલ છે તેને ચેક કરીને તેની માહિતી સરકારમાં સોમવારે આપશે પછી કેનાલમાં ઝડપથી પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવશે






Latest News