મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !


SHARE







મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !

લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે અને કોઈએ ધાર્યું ન હતું તેવું પરિણામ આવેલ છે જો કે, મોરબીમાં રહેતા નોટરી સંજયસિંહ ઝાલાએ ગત શનિવારે કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે તે તેમનું અનુમાન સાચું સાબિત થયું છે.

મોરબીના પીપળી ગામે રહેતા પીઢ કોંગ્રેસી અને નોટરી સંજયસિંહ ઝાલાને ગત શનિવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને વ્હોટસ એપથી મેસેજ કરીને કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે અને નીતીશકુમર તેમજ ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકર બનશે જે વાત જાહેર કરવામાં આવેલ પરિણામમાં સાચી સાબિત થઇ છે તેમજ તેઓએ ઓડીશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચુંટણી અંગે કરેલી ભવિષ્યવાણી પણ સાચી સાબિત થયેલ છે આમ સંજયસિંહે બંને ચૂંટણીનાં પરિણામમાં ભાજપ માટે જેટલી બેઠકો ધારી હતી તેટલી જ બેઠકો ભાજપને આવેલ છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે.






Latest News