વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

કલ્પના સે ભી વિચિત્ર હોતા હૈ સચ્ચ...: અમરેલીમાં ધનાણી સામે હારનો ૨૨ વર્ષે રાજકોટમાં બદલો લેતા રૂપાલા, ૪.૫૦ લાખથી વધુની લીધ સાથે ઐતિહાસીક લીડ


SHARE











કલ્પના સે ભી વિચિત્ર હોતા હૈ સચ્ચ...: અમરેલીમાં ધનાણી સામે હારનો ૨૨ વર્ષે રાજકોટમાં બદલો લેતા રૂપાલા, ૪.૫૦ લાખથી વધુની લીધ સાથે ઐતિહાસીક લીડ

સૌરાષ્ટ્રની લોકસભાની બેઠકોમાં સહુ કોઇની નજર રાજકોટની બેઠક ઉપર હતી કેમ કે, ક્ષત્રિય આંદોલન સહિતના જે કોઈ પરિબળો હતા તે ભાજપને નુકશાન કરશે અને કોંગ્રેસને ફાયદો કરશે તેવી વાત હતી પરંતુ કલ્પના સે ભી વિચિત્ર હોતા હૈ સચ્ચ... આ ઉક્તિને મતદારોએ પરસોતમ રૂપાલા માટે સાર્થક કરી બતાવી છે અને આજે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસનાં ઉમેદવારની સામે ભાજપના ઉમેદવારે ૪.૫૦ લાખથી વધુની જીત મેળવી છે જેથી કરીને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ૨૨ વર્ષ પહેલા જે હાર આપી હતી તેનો હાલમાં લોકસભાની ચુંટણીમાં બદલો લીધેલ છે તેવો ઘાટ સર્જાયો છે

સૌરાષ્ટ્રમાં આજે સવારથી ૭ બેઠકના પરિણામોએ જામનગર, રાજકોટ અને અમરેલીએ ભારે ઉત્તેજના જગાવી હતી. રાજકોટ બેઠક ઉપર ભાજપના રૂપાલા પહેલા રાઉન્ડથી જ કોંગ્રેસનાં ઉમેદવાર કરતાં આગળ હતા જો કે, ચૂંટણી પ્રચાર દરમ્યાન પરસોતમ રૂપાલાની ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજે આંદોલન કર્યું હતું અને આખા રાજ્યમાં તેની અસર જોવા મળી પરંતુ ચૂંટણીના પરિણામમાં ક્ષત્રિય આંદોલનની કોઈ અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી નથી અને રાજકોટ બેઠકનું પણ પત્રકારો અને રાજકીય વિશ્લેષકોના અનુમાન મુજબનું જ પરિણામ આવ્યું છે. રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસે માહોલ જરૂર બનાવ્યો હતો પરંતુ ભાજપનું સંગઠન મજબૂત હોવાથી કોંગ્રેસને હાર સહન કરવી પડી છે અને કોંગ્રેસનાં ઉમેદવારની સામે ભાજપના ઉમેદવારે ૪.૫૦ લાખથી વધુની જીત મેળવી છે જેથી કરીને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ૨૨ વર્ષ પહેલા જે હાર અમરેલીમાં આપી હતી તેનો હાલમાં લોકસભાની ચુંટણીમાં બદલો પરસોતમભાઈ રૂપાલાએ લીધેલ છે તેવો ઘાટ સર્જાયો છે જો કે, મત ગણતરી પૂરી થયા બાદ પત્રકારો સાથે પરસોતમભાઈ રૂપાલાએ વાત કાર હતી ત્યારે તેમણે તમામ મતદારોનો અંતઃ કરણથી આભાર માન્યો હતો અને તમામ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર ચૂંટણી દરમિયાન જે પ્રકારે મતદારોએ મતદાન કરવા રુચિ દાખવી તેને તેઓએ વંદન કર્યા હતા અને આગામી દિવસોમાં રાજકોટના વિકાસની કેડીને જે કંડારી છે તે મશાલને હાથમાં લઈશ તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News