ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં કરવામાં આવેલ બાંધકામની રજૂઆત મળતા જ કલેકટરનો તપાસનો આદેશ


SHARE











મોરબીની મચ્છુ નદીમાં કરવામાં આવેલ બાંધકામની રજૂઆત મળતા જ કલેકટરનો તપાસનો આદેશ

મોરબીમાં ઝૂલત પુલ પાસે મંદિરનુ બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેની સાથે મચ્છુ નદીના પટમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે અંગેની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને તંત્ર દોડતું થયેલ છે ત્યારે બાદ નોટીસ આપીને પાંચ દિવસમાં જગ્યાના કબ્જા વિષેની માહિતી રજૂ કરવા માટે તાકીદ કરાઇ છે

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી મચ્છુ નદીના કાંઠે ઝુલતા પુલની બાજુમાં સ્વામીનારાયણનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને મચ્છુ નદીમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ નદીની પહોળાઈ ઘટી રહી છે તેવી તે બાંધકામ બાબતે કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી જેથી કરીને રજુઆતને ધ્યાને લઈને સવાલવાળી જગ્યાની સ્થળ તપાસ કરી, થઈ રહેલ બાંધકામ નદીના નોટીફાઈડ એરીયામાં થાય છે કે કેમ ? તથા સદરહું બાંધકામના કારણે નદીના કુદરતી પ્રવાહને તથા પુરના સમયે બાંધકામના કારણે કોઈ દુર્ઘટના સર્જાવાની શક્યતા રહે કે કેમ ? તે બાબતે તેમજ ભુતકાળમાં નદીમાં છોડવામાં આવેલ પાણીના પ્રવાહનું લેવલ વિગેરે બાબતો ધ્યાનમાં લઈ હકીકત લક્ષી અહેવાલ પાંચ દિવસમાં મોકલી આપવાનો કલેકટરે આદેશ કરેલ છે






Latest News