ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

રાજકોટથી ખરીદી કરીને મોરબી પરત આવત બે મિત્રોને લજાઈ નજીક નડ્યો અકસ્માત: એકનું મોત-એક સારવારમાં


SHARE











રાજકોટથી ખરીદી કરીને મોરબી પરત આવત બે મિત્રોને લજાઈ નજીક નડ્યો અકસ્માત: એકનું મોત-એક સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ પાસે આવેલ હોટલ સામેથી ડબલ થવાની બાઈક પસાર થતું હતું ત્યારે અજાણી કારના ચાલકે તે ડબલ થવાની બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને એક યુવાનને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે અજાણી કારના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પરસોતમ ચોક પાસે શ્રી સાબુની સામેના ભાગમાં રહેતા મીનાબેન દિનેશભાઈ રાઠોડ જાતે લુહાર (૬૦)એ અજાણ્યા કાર ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૬/૫ ના રાત્રીના સવા દસેક વાગ્યાના અરસામાં તેનો દીકરો આનંદ દિનેશભાઈ રાઠોડ (૩૭) અને તેનો મિત્ર મનીષભાઈ ભગવાનજીભાઈ બંને રાજકોટ ખરીદી કરવા માટે ગયા હતા ત્યાંથી પરત મોરબી બાજુ આવી રહ્યા હતા. દરમિયાન લજાઈ ગામ નજીક આવેલ હોનેસ્ટ હોટલની સામેના ભાગમાં રસ્તા ઉપર કોઈ અજાણી કારના ચાલકે તેઓના ડબલ સવારી બાઈક નંબર એમએચ ૪૭ વી ૩૯૯૦ ને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના દીકરા આનંદને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જો કે, મનીષભાઈને માથા અને શરીરને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માત સર્જીને કાર ચાલક તેનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય હાલમાં મૃતક યુવાનના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News