મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં બે આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ


SHARE







મોરબીમાં ચેક રિટર્નના કેસમાં બે આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઑને એક વર્ષની સાદી કેદની સજા અને કેસની બાકી નીકળતી રકમ ૫,૦૩,૫૯૩ ની બમણી રકમ ૧૦,૦૭,૧૮૬/- વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા કોર્ટે આદેશ કરવામાં આવે છે અને આ વળતરની રકમ આરોપી દ્વારા ચૂકવવામાં ન આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઇએ, તો ફરીયાદી વિધ્યા હાઇડ્રોલિકના પ્રોપરાઇટર ચેતનભાઈ જીવરાજભાઈ હડિયાલ (રહે. પંચાસર રોડ, મોરબી) પાસેથી આરોપીઑ એમ.પી. એસોસિએટના પાર્ટનરો મ્રીનલ દાસ અને પ્રાંજલ દાસ (રહે. ગુવાહાટી, આસામ)એ મશીનરીની ખરીદી કરેલ હતી. તેની બાકી રહેતી લેણી રકમ પૈકી ૫,૦૩,૫૯૩ વસૂલ આપવા આરોપીઑએ ચેક આપેલો હતો. તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપીઓ સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળનો ફોજદારી કેસ મોરબીના એડિશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૩ ની સાલમાં દાખલ કરેલ હતો.

જેમાં આરોપીઑએ બાકીની રકમ નહિ ચુકવતા ફરિયાદની ટ્રાયલ ચાલી જતા એમ.પી. એસોસિએટના પાર્ટનરો મ્રીનલ દાસ અને પ્રાંજલ દાસને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી નીકળતી રકમ ૫,૦૩,૫૯૩ ની બમણી રકમ ૧૦,૦૭,૧૮૬ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કરેલ છે અને આ વળતર આરોપી દ્વારા ચૂકવવામાં ન આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.






Latest News