ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામ નજીક વાહન અકસ્માતમાં આધેડનું મોત


SHARE











મોરબીના ઘુંટુ ગામ નજીક વાહન અકસ્માતમાં આધેડનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઘુંટુ ગામ નજીક ગઈકાલે સવારના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઘુંટુ ગામ પાસે રહેતા આધેડ ઇજાગ્રસ્ત થવાથી બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.જોકે જોઇ તપાસીને ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા અને બાદમાં આ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને બનાવ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલ તા.૩૦-૫ ના સવારના આઠેક વાગ્યાના અરસામાં મોરબી-હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામથી આગળ પર્થ હોટલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈક લઈને જઈ રહેલા રામકિશનભાઇ રાજેન્દ્રભાઈ શર્મા (ઉમર ૫૨) રહે. સિલ્વર પાર્ક સોસાયટી જુના ઘુંટુ રોડ સામાકાંઠે મોરબી-૨ ને વાહન અકસ્માતના બનાવમાં શરીરે ગંભીર ઇજાઓ થતા બેભાન હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓને જોઈ તપાસીને તબીબે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી હતી.તપાસ અધિકારી સાથે થયેલી વાતચીત મુજબ મૃતક રામકિશનભાઇ શર્મા બાઇક લઈને જતા હતા ત્યારે રોડની કડ નજીક બાઇક સ્લીપ થઈ જવાથી અથવા તો અન્ય કોઈ વાહન સાથે તેમનું બાઈક અથડાવાથી સર્જાયેલા અકસ્માત બનાવમાં તેમનું મોત નિપજેલ છે.જોકે ખરી બાબત શું છે..? તે દિશામાં તેઓ દ્વારા સ્થાનીકોની પૂછપરછ અને સીસીટીવીના ફૂટેજ મેળવવા માટેની આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

ગાયએ હડફેટ લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસી નારણભાઈ હરજીવનભાઈ જોશી (ઉમર ૫૨) મોરબી-૨ વિસ્તારમાં આવેલ નાસ્તાની લારીએથી સાયકલ લઈને પોતાના ઘર તરફ જતા હતા ત્યારે પાછળથી ગાયે તેઓને સાયકલ સહિત હડફેટે લીધા હતા.જેથી ડાબા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.મોરબીના સામાકાંઠે બનેલ અકસ્માત બનાવમાં હોસ્પિટલ તરફથી થયેલી જાણના પગલે સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

રિક્ષામાંથી પડી જતા સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા જયશ્રીબેન હિતેશભાઈ ઘોડાસરા નામના મહિલા રીક્ષામાં બેસીને જઈ રહ્યા હતા.ત્યારે અકસ્માતે શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચાલુ રિક્ષામાંથી તેઓ નીચે પડી ગયા હતા.જેથી ઈજા પામેલ હાલતમાં જયશ્રીબેન ઘોડાસરાને મોરબીના સામાકાંઠે આવેલી શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ અકસ્માત બનાવની જાણ કરવામાં આવી હતી.જેથી સ્ટાફના એચ.એમ.મકવાણા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News