ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્યના કાર્યાલય, રામધન આશ્રમ, વાંકાનેર તાલુ પંચાયત અને ક્રાંતિજયોતમાં ગેમઝોનના દિવંગતોને શ્રધ્ધાંજલી


SHARE







વાંકાનેરમાં ધારાસભ્યના કાર્યાલય, રામધન આશ્રમ, વાંકાનેર તાલુકા પંચાયત અને ક્રાંતિજયોતમાં ગેમઝોનના દિવંગતોને શ્રધ્ધાંજલી

વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં વાંકાનેર ખાતે રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને અશ્રુભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરાઓ સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલી પાઠવી હતી આવી જ રીતે મોરબીમાં આવેલ ક્રાંતિજ્યોત સોસાયટી (મહેન્દ્રનગર)માં રહેતા લોકો દ્વારા રાજકોટના ગેમઝોનમાં બનેલ ઘટનામાં અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે દિપક અંદરપા, રમેશભાઈ, હસુભાઈ, મોહનભાઈ, મહેન્દ્રભાઈ, ભદ્રેશભાઈ સહિત બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા આવી જ રીતે વાંકાનેર તાલુકા પંચાયત ખાતે રાજકોટ ગેમઝોન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભા રાખવામા આવી હતી જેમાં રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માઓની શાંતિ અર્થે ધૂનનું આયોજન કરાયું હતું. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી તેમજ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ત્યારે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેવું મુકેશ ભગતે જણાવ્યુ છે






Latest News