ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે સતવારા સહકાર મંડળ દ્વારા સમુહલગ્નનું આયોજન


SHARE











મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમુહલગ્નનું આયોજન


મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી રવિવારે આ સમૂહલગ્ન યોજવાના છે જેમાં ૧૪ યુગલો વડીલો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગ માંડશે. 

મોરબીમાં પંચાસર રોડ અને વાવડીરોડ વચ્ચે આવેલ શક્તિધામ મંદિર માધાપર ઓજી રોડ ખાતે નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં આગામી તા.૨-૬ ને રવિવારે સતવારા સહકાર મંડળ દ્વારા નવમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નમાં ૧૪ યુગલો વડીલો સહિતનાઓના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડશે. ત્યારે સવારે ૯ કલાકે ગણેશ સ્થાપન અને મંડપ મુહૂર્ત કરશે અને સાંજે ૬ કલાકે ભોજન તેમજ રાત્રે ૯:૩૦ કલાકે જાન આગમન અને ત્યાર બાદ લાગણી વિધિ સંપન્ન કરાશે તેવું આયોજકો જણાવ્યુ છે.






Latest News