મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુરથી પાનેલીને જોડતો રસ્તો-વરસાદી પાણીના વોકળા ખોલવા રજૂઆત


SHARE







મોરબીના લખધીરપુરથી પાનેલીને જોડતો રસ્તો-વરસાદી પાણીના વોકળા ખોલવા રજૂઆત

મોરબી તાલુકના લખધીરપુરથી પાનેલી ગામ તરફ જવાનો રસ્તો હતો તેને બંધ કરવામાં આવેલ છે જેથી કરીને આ રસ્તાને ખુલ્લો કરવા તેમજ જીઆઇડીસી દ્વારા બંધ કરવામાં આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવાની ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને રજૂઆત કરાઇ છે

મોરબી તાલુકાનાં પાનેલી ગામ પાસે નવી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઇડીસી) મંજૂર કરવામાં આવેલ છે તેનો વિરોધ કરવામાં આવે છે તો પણ જીઆઇડીસીનુ કામ રોકવામાં આવ્યું નથી અને હાલમાં લખધીરપુર ગામથી પાનેલી જતો સર્વે નં. ૧૪૦ પૈકીમાંથી નીકળતો રાતો જીઆઇડીસી દ્વારા બંધ કરવામાં આવ્યો છે. અને જાંબુડીયા સર્વે. નં. ૧૪૬ ના વિસ્તારમાંથી જે પાણી પાનેલી તળાવમાં આવે છે તેને પણ બંધ કરવામાં આવેલ છે જેથી કરીને રસ્તો ખોલવામાં આવે તેમજ વરસાદી પાણીના વોકળા ખોલવામાં આવે તેના માટે ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા મામલતદારને રજૂઆત કરવામાં આવેલ છે






Latest News