મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે વીજ કંપનીની ગંભીર બેદરકારી


SHARE











મોરબીના વાવડી રોડે વીજ કંપનીની ગંભીર બેદરકારી

મોરબી શહેર અને જીલ્લામાં વીજ કંપની દ્વારા રિપેરિંગ માટે ગમે ત્યાર પાવર સપ્લાઈ બંધ રાખવામા આવે છે તો પણ ઘણી જગ્યાએ લોકોના જીવ માટે ગમે ત્યારે જોખમ ઊભું થાય તેવી ગંભીર બેદરકારી સામે આવતી હોય છે આવો જ એક બનાવ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી પાસે સામે આવ્યો છે જેમાં વીજ કંપની દ્વારા મૂકવામાં આવેલ ટીસીમાં મૂકવામાં આવેલ ફ્યૂઝની પેટીનું ઢાંકણુ જ નથી અને તે ખુલ્લા જ પડ્યા છે આ ટીસીની બાજુમાં જ સ્કુલ આવેલ છે જેથી કઈ નાના બાળક માટે આ બેદરકારી ગમે ત્યારે જીવલેણ બની શકે છે આવી જ રીતે ઘણી જગ્યાએ લટકતા મીટર અને વાયર પણ જોવા મળે છે જે આગામી ચોમાસામાં શૉટ સર્કિટ થવાથી લોકોના જીવ ઉપર જોખમ ઊભું થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે આ જગ્યાએ કોઈ અકસ્માત ન બને તે માટે ઢાંકણા નાખવા માટે જીઈબીને તા ૧૫/૫/૨૪ ના રોજ લેખીત ફરીયાદ કરવામાં આવે છે જેથી કરીને વીજ કંપનીના કર્મચારીઓ ત્યાં આવ્યા હતા અને કોઈ કામ કર્યા વગર જતાં રહેલ છે અને આનુ કઈ ન થાય તેમ કહ્યું હતું ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ બેદરકારીના લીધે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે






Latest News