વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી ઘટક-૧ની આંગણાવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી ઘટક-૧ની આંગણાવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં મોરબી-૧ ઘટકમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપવા માટે પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈ.સી.ડી.એસ., મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કરાવવામાં આવતી પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃતિઓથી માતા-પિતા માહિતગાર થાય તે માટે બાલક પાલક સર્જન કાર્યક્રમનું તમામ આંગણવાડી કેન્દ્રોમાં આયોજન કરવાના ભાગરૂપે મોરબી-૧ ઘટકના બગથળા સેજાના બગથળા-૨ કેન્દ્ર પર સંયુક્ત રીતે ૪ આંગણવાડી કેન્દ્ર ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૪ આંગણવાડી કેન્દ્રના ૨ થી ૩ વર્ષના બાળકો અને વાલીઓને આંમત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા. જ્યાં આઇ.સી.ડી.એસ. ઘટકમાંથી મુખ્ય સેવિકા પાયલબેન ડાંગર તેમજ પી.એસ.ઇ. મયુરીબેન વડગામા અને બગથળા ૧,,,૪ આંગણવાડી કેન્દ્રના કાર્યકર-તેડાગર બહેનો દ્વારા છાપ કામ, ચીટકકામ,  જેવી પ્રવૃતિ બાળકો અને વાલીઓ દ્વારા સંયુક્ત રીતે કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નકલંક ધામના દામજીભાઇ ભગત, બગથળા સરપંચ પરેશભાઇ આંબલીયા, રમેશભાઇ, રતીભાઇ, નીતિનભાઈ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌના સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.






Latest News