વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના નાગલપરથી થોરાળા વચ્ચે બે બાઈક સામસામે અથડાયા: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE











મોરબીના નાગલપરથી થોરાળા વચ્ચે બે બાઈક સામસામે અથડાયા: ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબી તાલુકાના નાગલપર ગામથી થોરાળા ગામ વચ્ચેના રસ્તા ઉપર બે બાઈક સામસામે અથડાયા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના થોરાળા ગામે રહેતા કેશવજીભાઈ રાજાભાઈ પરમાર (૫૦) નામના આધેડ બાઈક લઈને મોરબીના નાગલપર થી થોરાળા ગામ વચ્ચેના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં સામસામે બાઇક અથડાવવાનો અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કેશવજીભાઈ તથા મેહુલ હરેશભાઈ જખાણીયા (૧૪)ને ઇજાઓ થયેલ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં બંનેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી કેશવજીભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિધિ પાર્કમાં નારાયણ પેલેસ ફ્લેટ નંબર ૩૦૨ માં રહેતા ભાડેજા નરભેરામભાઇ છગનભાઈ (૫૫) નામના આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓનું બાઇક રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તેમને ઇજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News