મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી, માળીયા અને હળવદ તાલુકાને અનાવૃષિટગ્રસ્ત જાહેર કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી, માળીયા અને હળવદ તાલુકાને અનાવૃષિટગ્રસ્ત જાહેર કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત 

ચાલુ વર્ષે મોરબી જિલ્લાના ચોમાસાની શરૂઆતમાં વરસાદ ઓછો હતો અને પછી વરસાદ ઘણા સમય સુધી ખેંચાયો હતો જેથી કરીને આગોતરું વાવેતર કરનારા ખેડૂતો  સહિતના ખેડૂતોને પાકમાં નુકશાની થયેલ હતી ત્યારે આ ખેડૂતોને "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" નો લાભ મળે તેના માટે મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ દ્વારા હાલમાં રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મોરબી જીલ્લાના ત્રણ તાલુકાઓને અનાવૃષિટ (દુષ્કાળ) ગ્રસ્ત જાહેર કરવા તેઓએ પત્ર લખ્યો છે.

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને ભાજપ અગ્રણી કિશોરભાઇ ચિખલિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેનેદ્રભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કેખેડૂતોના હિતાર્થે ગુજરાત સરકારની કુદરતી આપતિથી ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા પાક નુકસાન માટે "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" અમલમાં છે જે અનવ્યે કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તા .૧૧/૬/૨૦૨૧ ના ઠરાવ મુજબ જે તાલુકમાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચા અઠવાડીયા (૨૮ દિવસ) વરસવાદ પડેલ ન હોય એટલે કે સતત શુન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકસાન થયેલ હોય તેને અનાવૃષિટ (દુષ્કાળ) નુ જોખમ ગણવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. ત્યારે મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં ૩૧ ઓગસ્ટ સુધીમાં ૧૦ ઇંચથી ઓછો અને સતત ચાર અઠવાડીયા (૨૮ દિવસ) વરવાદ પડેલ ન હતો જેથી આ ત્રણ તાલુકાઓને અનાવૃષિટ (દુષ્કાળ) ગ્રસ્ત જાહેર કરવા માટેની કિશોરભાઇ ચિખલિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને તેઓએ આંકડાકીય માહિતી પણ મોકલાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે૩૧ ઓગસ્ટ સુધીમાં પડેલ વરસાદમાં હળવદ તાલુકામાં ૪.૭૨ ઇંચમાળીયા ( મી ) તાલુકામાં ૫.૯૮ ઇંચ અને મોરબી તાલુકામાં ૯.૫૨ ઇંચ વરસાદ થાય છે જેથી કરીને આ ત્રણેય તાલુકાનાં ખેડૂતોને "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના"નો લાભ મળે તેને માટે યોગી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરેલ છે.






Latest News