ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભુવા ધુણતા હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે

છેલ્લા ઘણા સમયથી યુવાનો, વૃદ્ધો સહિતનાઓમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને ગમે ત્યારે, ગમે તેને, ગમે તે જગ્યાએ હાર્ટ એટેક આવવાથી તેનું મોત નીપજે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા (૭૩) ધાર્મિક કાર્યક્રમની અંદર વાઘપર પીલુડી ગામે ધૂણતા હતા દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબીના સામાકાંટા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાર્ટ એટેકના કારણે વૃદ્ધનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નરસી ભગવાનના પાઠનું આયોજન વાઘપર પીલુડી ગામે આવેલ નરસી ભગવાનના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા ધૂણતા હતા અને ધાર્મિક કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ તેઓને હાર્ટ અટેક આવતા તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા જોકે હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે તેમનું મોત નીપજયું હતું






Latest News