મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબી શહેરમાં લગાવવામાં આવેલ ગેરકાયદે હોર્ડિંગ હટાવવા કોંગ્રેસની માંગ

તાજેત્તરમાં મુંબઈમાં તોતિંગ હોર્ડીંગ બોર્ડ તૂટીને પડ્યું હતું જેથી કરીને ૧૬ લોકોના મોત થયા છે અને ૭૫ જેટલા લોકોને ઇજાઓ થયેલ છે તો પણ જોખમી બોર્ડને હટાવવામાં આવતા નથી તેવામાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી એક બોર્ડ ઉડીને સ્કૂટર વાળા ઉપર પડ્યું હતું જેમાં તે માંડમાંડ બચેલ છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે કલેક્ટરને રજૂઆત કરીને શહેરમાં લગાવવામાં આવેલ બીનકાયદેસર હોર્ડિંગ બોર્ડ હટાવવા માટેની માંગ કરેલ છે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ કલેક્ટરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં રસ્તાઓ ઉપર બિનકાયદેસર રીતે કોઈ પણ પ્રકારની પરવાનગી વગર હોર્ડીંગ બોર્ડ ઊભા કરવામાં આવેલ છે જે ગમે ત્યારે કોઇની માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે જેથી કરીને તાજેતરમાં મહેન્દ્રનગર ચોકડી કમોસમી વરસાદ સમયે જે હોર્ડિંગ પાડવાની ઘટના બની હતી તેમાંથી બોધ લઈને કોઈ જીવલેણ ઘટના બને તે પહેલા મોરબી શહેરમાંથી તમામ જોખમી અને મંજૂરી વગરના બોર્ડને દૂર કરવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ઉમિયા સર્કલ, ઉમિયા સર્કલથી લીલાપર ગામ સુધી, નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી, ત્રાજપર ચોકડીથી લાલપર ગામ, ત્રાજપર ચોકડીથી પીપળી ગામ, અને ત્રાજપર ચોકડીથી ધરમપુર-ટીંબડી ગામ સુધીના વિસ્તારોમાં હોર્ડિંગ્સ આડેધડ લગાવેલા છે. જે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તે પહેલા તેને દૂર કરવામાં આવે તે જરૂરી નહીં અનિવાર્ય છે






Latest News