મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ખેડૂતોને ૭-૧૨ના દાખલા લેવામાં પડતી હાલાકી દૂર કરવા ગ્રાહક સુરક્ષા મંડળની કલેકટરને રજુઆત


SHARE







મોરબી તાલુકામાં ખેડૂતોને ૭-૧૨ના દાખલા લેવામાં પડતી હાલાકી દૂર કરવા ગ્રાહક સુરક્ષા મંડળની કલેકટરને રજુઆત

મોરબી તાલુકામાં રેવન્યુ વિભાગમાં સર્વેયરની અનીયમતતા છે જેથી કરીને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ખેડૂતોને ૭-૧૨ના પાનિયા (દાખલા) કઢાવવા માટે જે હેરાનગતિનો સામનો કરવો પડે છે તેને નિવારવા માટે મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કલેક્ટરને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ચોમાસાની સિઝન માથે આવી રહી છે. ત્યારે ખેડૂતો બેંક તથા મંડળીમાં દેવુ નવા જુના કરવાનું હોય સેવા સદનમાં સર્વેયર મંદગતીએ ચાલે છે. ૭-૧૨ ના પાનીયા કઢાવવા માટે ખેડૂતો આખો દિવસ બગાડે તો પણ કામ પૂરું થતું નથી અને બેંક ૭-૧૨ ના પાનીયા મામલતદાર કચેરીમાંથી કઢાવો તો જ ચલાવે છે. જો ગ્રામપંચાયતના મંત્રી પાનીયાં કાઢી આપે તેમાં મામલતદાર કાઉન્ટર સહી કરીને આપે તો પણ તેને ચલાવતા નથી. આ બાબતમાં બેંક તેની મનમાની કરી રહી છે જેથી કરીને કલેકટર તંત્રએ બેંક મંડળીમાં જાણ કરવી જોઇએ કે, મામલતદારની કાઉન્ટર સાઈન વાળા ૭-૧૨ ના પાનીયા (દાખલા) ચલાવવા જોઇએ. હાલ ખેડૂતોને નવા-જુના દેણા કલીયર કરવાના હોય અને બીયારણ, ખાતરની ખરીદી કરવાની હોય છે ત્યારે ઘણી તકલીફ પડી રહી છે જેથી કરીને આ બાબતે એક જ કોમ્પ્યુટરને બદલે ચારથી પાંચ કોમ્પ્યુટર મૂકીને ખેડૂતના હીતમાં ઝડપથી કામ કરવું જોઇએ






Latest News