મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ખેડૂતોને ૭-૧૨ના દાખલા લેવામાં પડતી હાલાકી દૂર કરવા ગ્રાહક સુરક્ષા મંડળની કલેકટરને રજુઆત


SHARE











મોરબી તાલુકામાં ખેડૂતોને ૭-૧૨ના દાખલા લેવામાં પડતી હાલાકી દૂર કરવા ગ્રાહક સુરક્ષા મંડળની કલેકટરને રજુઆત

મોરબી તાલુકામાં રેવન્યુ વિભાગમાં સર્વેયરની અનીયમતતા છે જેથી કરીને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ખેડૂતોને ૭-૧૨ના પાનિયા (દાખલા) કઢાવવા માટે જે હેરાનગતિનો સામનો કરવો પડે છે તેને નિવારવા માટે મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કલેક્ટરને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ચોમાસાની સિઝન માથે આવી રહી છે. ત્યારે ખેડૂતો બેંક તથા મંડળીમાં દેવુ નવા જુના કરવાનું હોય સેવા સદનમાં સર્વેયર મંદગતીએ ચાલે છે. ૭-૧૨ ના પાનીયા કઢાવવા માટે ખેડૂતો આખો દિવસ બગાડે તો પણ કામ પૂરું થતું નથી અને બેંક ૭-૧૨ ના પાનીયા મામલતદાર કચેરીમાંથી કઢાવો તો જ ચલાવે છે. જો ગ્રામપંચાયતના મંત્રી પાનીયાં કાઢી આપે તેમાં મામલતદાર કાઉન્ટર સહી કરીને આપે તો પણ તેને ચલાવતા નથી. આ બાબતમાં બેંક તેની મનમાની કરી રહી છે જેથી કરીને કલેકટર તંત્રએ બેંક મંડળીમાં જાણ કરવી જોઇએ કે, મામલતદારની કાઉન્ટર સાઈન વાળા ૭-૧૨ ના પાનીયા (દાખલા) ચલાવવા જોઇએ. હાલ ખેડૂતોને નવા-જુના દેણા કલીયર કરવાના હોય અને બીયારણ, ખાતરની ખરીદી કરવાની હોય છે ત્યારે ઘણી તકલીફ પડી રહી છે જેથી કરીને આ બાબતે એક જ કોમ્પ્યુટરને બદલે ચારથી પાંચ કોમ્પ્યુટર મૂકીને ખેડૂતના હીતમાં ઝડપથી કામ કરવું જોઇએ






Latest News