તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં બુધવારે બપોરે ડુબી ગયેલ બે તરૂણ સહિત ત્રણેયના મૃતદેહ મળ્યા: NDRF-SDRF સહિતની ટીમો દ્વારા ઓપરેશન પુરુ


SHARE











મોરબીની મચ્છુ નદીમાં બુધવારે બપોરે ડુબી ગયેલ બે તરૂણ સહિત ત્રણેયના મૃતદેહ મળ્યા: NDRF-SDRF સહિતની ટીમો દ્વારા ઓપરેશન પુરુ

મોરબી નજીકના સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં ન્હાવા માટે સાત મિત્રો ગયા હતા દરમિયાન પાણીમાં ડૂબી જવાના કારણે બે કૌટુંબિક ભાઈ અને ભાણેજને શોધવા માટેની કવાયત ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને નદીમાં ડૂબી ગયેલ ત્રણ વ્યક્તિઓની ક્રમશ: બોડી મળી આવેલ છે અને મોરબી તથા રાજકોટની ફાયર બ્રિગેડની ટીમ તેમજ હળવદના તરવૈયાઓની ટીમ અને એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમે ૨૬ કલાકે રેસક્યું ઓપરેશન પુરુ કરેલ છે

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા એક જ કુટુંબના પાંચ તરુણ અને તેની સાથે અન્ય બે આમ કુલ મળીને સાત વ્યક્તિઓ સ્વિમિંગ પુલમાં ન્હાવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તેઓ સ્વિમિંગ પૂલમાં જવાના બદલે મોરબી નજીક સાદુળકા ગામ પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં હાલમાં મચ્છુ બે ડેમમાંથી પાણી છોડ્યું છે જેથી કરીને પાણીની આવક હોય ત્યાં ન્હાવા માટે તે પહોંચ્યા હતા ત્યારે પરમાર ચિરાગ તેજાભાઈ (૨૦) નામનો યુવાન પાણીમાં પડતાની સાથે જ તે તણાવવા લાગ્યો હતો જેથી કરીને તેને બચાવવા માટે થઈને ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (૧૬) નામનો તરુણ પાણીમાં પડ્યો હતો અને તે પણ તણાવવા લાગતા તેને બચાવવા માટે ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (૧૭) નામનો તરુણ પાણીમાં પડ્યો હતો

આ ત્રણેય મચ્છુના પાણીમાં તા ૧૫/૫ ના રોજ બપોરે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં ડુબી ગયા હતા જેથી તેને શોધવા માટે થઈને મોરબી નગરપાલિકાની ટીમને જાણ કરી હતી અને ફાયરની ટિમ બપોરના ૧૨:૩૦ વાગ્યાથી મચ્છુ નદીમાં શોધખોળ કરી રહી છે પરંતુ મોડી રાત સુધી પાણીમાં ડૂબી ગયેલ ત્રણ પૈકીનાં એકપણ વ્યક્તિનો પત્તો લાગેલ ન હતો જો કે, મચ્છુ નદીમાં પાણીમાં ડૂબી ગયેલા ત્રણેય વ્યક્તિઓને શોધવા ગાંધીનગરથી એનડીઆરએફ અને બનાસકાંઠાથી એસડીઆરએફની એક એક ટીમ મોરબી મોકલાવવામાં આવેલ હતી તેવામાં નદીમાં ડૂબી ગયેલા ત્રણ પૈકીનાં ભંખોડીયા ગૌરવ કિશોરભાઈ (૧૭) અને પરમાર ચિરાગ તેજાભાઈ (૨૦) નામના બે વ્યક્તિના પહેલા નદીમાંથી મૃતદેહ મળી આવેલ હતા જો કે, ધર્મેશ ભંખોડીયાનો પત્તો લાગ્યો ન હતો માટે શોધતા હતા તેવામાં બપોરે પોણા બે વાગ્યાના અરસામાં તેની બોડી પણ ફાયર સહિતની ટીમે શોધી કાઢેલ છે. અને ભંખોડીયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (૧૬)ની બોડી તેના પરિવારને સોંપી આપેલ છે અને ૨૬ કલાકે રેસ્ક્યુ ઓપરેશન પુરુ કરેલ છે






Latest News