ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી : સમલી ગામનો બનાવ છાતીમાં દુખાવો ઉપડયા બાદ સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત


SHARE











મોરબી : સમલી ગામનો બનાવ છાતીમાં દુખાવો ઉપડયા બાદ સારવારમાં ખસેડાયેલા યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સમલી ગામે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને બાદમાં બેભાન હાલતમાં મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાં તેનું મોત નીપજત્તા ડેડબોડીને પીએમ માટે અહિંની સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યુ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હળવદના સમલી ગામે રહેતા ભરતભાઈ રાઘવજીભાઈ પટેલ નામના ૪૮ વર્ષના યુવાનને તા.૧૩ ના સાંજના છએક વાગ્યાના સમયે છાતીમાં દુખાવો થયો હોય બેભાન હાલતમાં તેઓને મોરબી લાવવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈ જવાતા ત્યાં તેમનું મોત થયુ હતું અને બાદમાં ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.હોસ્પિટલ ખાતેથી પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ સંદર્ભે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરી હતી.

ઉંચી માંડલ પાસે મારામારી

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા મુજબ હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે એક્સવેર સીરામીક નામના યુનિટમાં મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સર્વેશભાઈ કૃષ્ણકુમાર મહાકુલ (ઉમર ૪૨) ને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

ગાળા પાસે વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે વાહન અકસ્માતનો બનાવ બનતા ઇજા પામેલ મહિલાને સારવારમાં ખસેડાયા હતા.મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતા જેતુનબેન મહમદભાઈ નોતીયાર નામના ૪૫ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે સરકારી હોસ્પિટલએ ખસેડાયા હતા.ગત તા.૧૨ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ગાળા ગામના પાટીયા પાસે બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા જેતુનબેન નોતીયારને સારવારમાં ખસેડાયા હતા.હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના શાક માર્કેટ પાછળ આવેલા સિપાઇવાસ વિસ્તારમાં રહેતા કાસમભાઈ કરીમભાઈ નામના ૬૫ વર્ષના વૃદ્ધ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચકિયા હનુમાન મંદિર પાસેથી જતા હતા ત્યારે ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાઈ હતી.






Latest News