તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ગુનેગારોનું ઘર એટલે મોરબી ? : વડોદરાથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ભોગ બનાર સાથે મોરબીમાંથી મળી આવ્યો


SHARE











ગુનેગારોનું ઘર એટલે મોરબી ? : વડોદરાથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ભોગ બનાર સાથે મોરબીમાંથી મળી આવ્યો

મોરબી તાલુકા પોલીસની હદ વિસ્તારન ગ્રામ્ય વિસ્તારમાં વડોદરા પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને અહીંથી ભોગ બનનાર સગીરા આરોપી સાથે મળી આવતા હાલ બંનેને તપાસના કામે સાથે વડોદરા લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના વાઘોડિયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ બાતમીના આધારે મોરબી આવ્યા હતા.ત્યાં વડોદરા ખાતે તેઓના પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩, ૩૬૬ થી અપહરણનો ગુનો નોંધાયો હોય અને તે ગુનાની તપાસમાં તેઓ મોરબી આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સાથે રાખીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં તપાસ કરવામાં આવતા.મોરબી ખાતેથી તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ ભોગ બનનાર સગીરા આરોપી રાકેશ રમેશભાઈ નાયક (ઉમર ૨૪) રહે.ખજુરીયા તા.જી.છોટાઉદેપુર વાળા સાથે મોરબી ખાતેથી મળી આવી હતી.જેથી હાલમાં ભોગ બનેલ સગીરા તથા આરોપી રાકેશ નાયકને તપાસના કામે વડોદરા લઈ ગયા હોવાનું સ્થાનિક પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે.

રામકૃષ્ણનગરમાં થયેલ મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગરમાં ઝઘડો થયા બાદ સામસામી મારામારીનો બનાવ બન્યો હતો અને બાદમાં લારી સળગાવી દેવાની ઘટના બનૂ હતી.જેમાં વૃદ્ધનું દાજી જવાથી મોત નિપજયુ હતુ.તે બનાવમાં મર્ડર અને સામસામે મારામારીની ફરિયાદો દાખલ થઈ હતી.આ બનાવમાં મારામારી સંદર્ભે હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ છાસીયા દ્વારા નવઘણ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા જાતે કોળી (ઉંમર ૨૩) રહે.રામકૃષ્ણનગર સામાકાંઠે લાલબાગ પાછળ મોરબી-૨ ની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

ટ્રક-બાઈક અકસ્માતમાં ઇજા થતા યુવાન સારવારમાં

મોરબીના કંડલા હાઇવે ઉપરથી બાઈક લઈને જતા સમયે યુવાનના બાઈકની ટ્રક સાથે ટક્કર થઈ હતી.આ બનાવમાં ઈજા થતા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે જામનગરના જોડિયા તાલુકાના જસાપર ગામના વતની હસમુખભાઈ દામજીભાઈ કાનાણી નામનો ૪૫ વર્ષનો યુવાન બાઈક લઈને મોરબીના કંડલા હાઇવે ઉપરથી જતો હતો ત્યારે સાદુળકા ગામના પાટીયા પાસે તેના બાઇકની ટ્રક સાથે અથડામણ થઈ હતી.આ બનાવમાં ઇજા પામેલ હસમુખભાઈ કાનાણીને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News