ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે પરંતુ ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને આ શૌચાલય વર્ષો જૂનું છે જેથી કરીને તેને તોડી પાડીને ત્યાં નવું શૌચાલય બનાવવામાં આવે તેવી મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે જો કે ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને તેના લીધે બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને મોરબીના લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી પરિસ્થિતી છે જેથી કરીને મોરબીના જુના બસ સ્ટેશન ખાતે નવેસરથી શૌચાલય બનાવવું ખુબ જ જરૂરી છે. અને જુના શૌચાલયની સ્થિતિ ખખડધજ છે તેની જગ્યાએ ડીમોલીશન કરી નવેસરથી બાંધકામ કરી આધુનીક સુવિધાયુકત તમામ સુવિધા સાથે શૌચાલય બનાવમાં આવે તેવી માંગ કરી છે અને જો નવું શૌચાલય બનાવવામાં આવશે તો જુના બસ સ્ટેન્ડ ખાતે ગંદકીની સમસ્યા પણ ઉકેલાઈ જાય તેવી શ્કાયતા છે જો કે, આ કામ કયારે કરવામાં આવશે તે તે આગામી સમય જ બતાવશે






Latest News