મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળેલ પરણિતા ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળેલ પરણિતા ગુમ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના ધ્રોલના રહેવાસી યુવાનના પત્ની ઘરેથી 'બ્યુટી પાર્લરમાં જાવ છું' તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હોય યુવાને હાલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલ પરણીતાને શોધવા તજવીજ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગરના ધ્રોલના વતની અને હાલ મોરબીના વાંકાનેર હીઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા ધવલભાઇ દિનેશભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ નામના ૩૩ વર્ષના યુવાને પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે તેઓના પત્ની વંદનાબેન ધવલભાઈ પંડ્યા (ઉમર ૨૯) વાળા ગત તા.૪-૫ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જાઉં છુ તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં મોડે સુધી પરત ન આવતા ઘરમેળે તપાસ કરવામાં આવી હતી છતાં વંદનાબેનનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.અંતે ગઈકાલે ધવલભાઇ દ્રારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલ છે.જેની આગળની તપાસ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

પગપાળા જતા વૃદ્ધને બાઇક ચાલકે હડફેટ લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા કરશનભાઈ વીરાભાઇ મકવાણા નામના ૭૪ વર્ષના વૃદ્ધ મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રોડ ઉપર રેલ્વે ફાટક પાસેથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લીધા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં કરશનભાઈ મકવાણાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત બનાવની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે.

ફીનાઇલ પી જતા સગીરા સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની દિવ્યાબેન અશોકભાઈ વરાણીયા નામની ૧૬ વર્ષની સગીરા તેના ઘરે ફીનાઇલ પી ગઈ હતી.જેથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.હોસ્પિટલમાં સારવાર શરૂ કર્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવતા પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું હતું કે દિવ્યાબેનએ ભૂલથી ફિનાઈલપી લીધું હતું.!






Latest News