ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્ય-રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની એક બેઠકની જવાબદારી સોપાઈ


SHARE











મોરબીના પૂર્વ ધારાસભ્ય-રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની એક બેઠકની જવાબદારી સોપાઈ

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગુજરાતની ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે તેમણે સફળતા પૂર્વક જવાબદારી વહન કરેલી છે અને તે પૂરી થતા જ પંજાબ રાજ્યના આનંદપૂરસાહેબ" બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવેલી છે.

લોકસભાની ચૂંટણીનાં અંતિમ તબક્કામાં ૧ લી જૂને પંજાબ રાજ્યમાં મતદાન થવાનું છે. ત્યાં બ્રિજેશ મેરજાને જવાબદારી સોપવામાં આવેલ છે અને આ પૂર્વે તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતનાં ભાજપના પ્રદેશ ઇન્ચાર્જ તરીકે પણ જવાબદારી ખૂબ નિષ્ઠા અને મહેનત કરીને પૂરી કરી છે. તેઓને વિવિધ તબક્કે ગુજરાતમાં વિવિધ સ્થળોએ જી-૨૦ ના સેમિનારપ્રબુધ્ધ નાગરિક સંમેલન તેમજ પંચાયત પ્રશિક્ષણના વિવિધ ઝોનમાં પણ પ્રદેશ ભાજપ તરફથી સોંપાયેલ કામગીરી પૂરી ખંત અને નિષ્ઠાથી નિભાવી છે. પંજાબ રાજ્યના પ્રભારી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બ્રિજેશ મેરજાએ આ નવી જવાબદારી અંગે માર્ગદર્શન મેળવીને પંજાબની આ ઐતિહાસિક અને ધરોહર ગણાતી આનંદપૂરસાહેબ” બેઠકની ચૂંટણીની જવાબદારી વહન કરવા તેઓ ટૂંક સમયમાં પંજાબ પંહોચી જશે અને ત્યાં તા. ૧ લી જૂને યોજાનાર ચૂંટણી સુધી પંજાબમાં રોકાણ કરશે. જેથી તેઓ મોરબીમાં તેમના આ પંજાબ પ્રવાસને કારણે મળી શકશે નહીં. પરંતુ તેમનું જનસંપર્ક કાર્યાલય રાબેતા મુજબ લોકો માટે ખુલ્લુ રહેશે






Latest News