મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવ ની ઉજવણી કરાઈ


SHARE











વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવ ની ઉજવણી કરાઈ

(કેતન ભટ્ટી દ્વારા)  વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજ દ્વારા શરદોત્સવની ઉજવણી કરવામાં આવતાં જ્ઞાાતિજનોએ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ રાસોત્સવની રમઝટ બોલાવી હતી, વિજેતાઓને ઈનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં.
માં ઉમિયા માતાજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટય તથા આરતી કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, વાંકાનેરની પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ પટેલ સમાજ વાડી ખાતે શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂલકાઓ, યુવાન ભાઈઓ, બહેનો અને વડીલોએ ટ્રેડિશનલ પોશાકમાં સજ્જ થઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી, વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલૈયાઓને સમાજનાં પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, જયંતિભાઈ પડસુંબીયા, જયંતિભાઈ રાણીપા, ડૉ. વિજય પટેલ તથા યુવા ટીમનાં અગ્રણી વિશાલભાઈ પટેલ,રાકેશ અઘારા ,પ્રકાશભાઈ  વિડજા ,સાગરભાઈ પટેલ સહિતનાં અગ્રણીઓ હસ્તે ઈનામો અર્પણ કરવામાં આવ્યાં હતાં.






Latest News