મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં લાજ કાઢવાનું કહેતા જેઠ અને તેના દીકરાને સગાભાઈ-બે પિતરાઇ ભાઈઓએ માર માર્યો: ત્રણેય આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં લાજ કાઢવાનું કહેતા જેઠ અને તેના દીકરાને સગાભાઈ-બે પિતરાઇ ભાઈઓએ માર માર્યો: ત્રણેય આરોપીની ધરપકડ

મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ પર આવેલ ભવાનીનગરમાં રહેતા જેઠની લાજ કાઢવાનું કહેવા બાબતે બે ભત્રીજા અને સગા ભાઈએ મોટાભાઈ તેમજ ભત્રીજા ઉપર હુમલો કર્યો હતો અને ઢીકાપાટુ તેમજ ધોકા વડે માર મારતા ઈજા પામેલ પિતા-પુત્રને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની ભોગ બનેલા યુવાને તેના સગા કાકા અને બે પિતરાઇ ભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવામાં માટે તજવીજ શરૂ કરી હતી અને આ કેસમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં રહેતા સાગરભાઇ નાનજીભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૨૮)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પિતરાઈ ભાઈ મયુરભાઈ ધનજીભાઈ પરમાર (૩૦), શામજીભાઈ મૂળજીભાઈ પરમાર (૩૪) અને સગા કાકા ધનજીભાઈ ગોવિંદભાઈ પરમાર (૬૨) રહે. બધા ભવાનીનગર અમરેલી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ફરિયાદી તથા તેના પિતા નાનજીભાઈ પરમાર (૬૮) ઘરે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી અને તેના પિતાને કહ્યું હતું કે “તમે કેમ અમારા બૈરાઓને લાજ કાઢવાનું કહો છો” અને બાદમાં ફરિયાદી અને તેને પિતાને ગાળો આપી હતી અને ત્યારબાદ બોલાચાલી કરીને શામજીભાઈ તથા ધનજીભાઈએ ફરિયાદી અને તેના પિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે મયુરભાઈ પરમારે લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો અને તેના પિતાને પણ માથાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલ પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં ભોગ બનેલા યુવાને તેના બે પિતરાઇ ભાઈ અને કાકાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News