મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ વિધાર્થી બોર્ડિંગે મંત્રીઓની હાજરીમાં યોજાશે રક્તદાન કેમ્પ
મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો
SHARE
મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો
મોરબી પંથકમાં આસ્થા અને શ્રધ્ધાના પ્રતીકસમા નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના પત્રકાર સુરેશભાઈ ગોસ્વામીના પુત્ર દિપકગીરી અને તેના પત્ની મયુરીબેનએ હવનમાં સાતક બેસવાનો લાભ લીધો હતો અને શાસ્ત્રોકત વિધિ મુકેશ મારાજએ કરાવી હતી ત્યારે લોકો બહોળી સંખ્યા લોકો નવચંડી યજ્ઞના દર્શનનો લાભ લેવા માટે મંદિરે આવ્યા હતા આ તકે ધક્કાવાળી મેલડી માતાજી મંદિર ગરબી મંડળ સમિતિના રવુભા ઝાલા, વિનુભાઈ ડાંગર, દિલીપ સોલંકી, મહેશ અનડકટ, નિલેશભાઈ વ્યાસ સહિત સેવાભાવી સભ્યો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા