મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન


SHARE







મોરબી : સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવતા રાજેશભાઇ વ્યાસનું મોરારી બાપુના હસ્તે થશે સન્માન

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમ વખત કોઈને નટરાજ એવોર્ડ મળી ગયો છે અને જાણીતા રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે આ સન્માન તેઓને મળવાનું છે.ત્યારે ટંકારાના ધ્રુવનગર ગામના રાજેશભાઈ વ્યાસે આ બહુમાન મેળવીને સમગ્ર વ્યાસ જ્ઞાતિનું જ્ઞાન નામ રોશન કરેલ છે.

મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિમાં સૌ પ્રથમવાર નટરાજ એવોર્ડ મેળવી મોરબી મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનું ગૌરવ વધારતા રાજેશભાઇ વ્યાસ કે જેઓનું મુળ ગામ ધ્રુવનગર છે અને હાલ તેઓ મોરબીના રહીશ છે.રાજેશભાઇ કુકરવાડીયાને હનુમાન જયંતિના દિવસે ચિત્રકૂટ ધામ તલગાજરડા મુકામે પૂજ્ય મોરારિબાપુના સાનિધ્યમાં નટરાજ એવોર્ડ ભારત દેશના મહાનુભાવોની ઉપસ્થિતીમા અર્પણ કરવામા આવશે.જે ગૌરવપૂર્ણ એવોર્ડ માટે સમગ્ર જ્ઞાતિ બંધુઓ હર્ષની લાગણી અનુભવે છે.મોરબી મચ્છુકાંઠા લોક ભવાઇ કલાના ઇતિહાસ માં સૌ પ્રથમ આ એવોર્ડ રાજેશભાઇને મળતા પરિવારજનો, ગ્રામજનો, જ્ઞાતિ બંધુઓ, અને ભવાઇ ચાહકોમા હર્ષની લાગણી હોય ચોમેરથી અભિનંદન વર્ષા વરસી રહી છે.






Latest News