મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો


SHARE











મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે વૈદિક પેરેન્ટિંગ સેમિનારને બહોળો પ્રતિસાદ મળ્યો

સાર્થક વિદ્યામંદિર મોરબી તેમજ સંસ્કૃતિ આર્ય ગુરુકુળ રાજકોટ આયોજિત વૈદિક પેરેંટિગ સેમિનાર સાર્થક સ્કુલ ખાતે યોજાયો હતો.ગુરુકુલમના આચાર્ય મેહુલભાઈ દ્વારા બાળકોના અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિકાસના તબક્કા, બાળકોના અન્નમય કોષના વિકાસ માટે સાત્વિક અન્નનું મહત્વ, તેમજ પ્રાણમય કોષના વિકાસ માટે નિયમો, સહનશીલતા અને સ્વાવલંબન તેમજ બાળકોને વ્યવહાર દ્વારા કેવી રીતે આ બધુ શીખવવા તેની વિસ્તારથી સમજૂતી  આપવામાં આવી હતી.વૈદિક પેરેન્ટિંગના ૧૦૦ સૂત્ર છે.જે મનોવિજ્ઞાનને આધારે લખાયેલા છે.તે માતા-પિતાએ સમજવા ખૂબ જરૂરી છે.તે વાતની તેઓએ સર્વે વાલીઓને અનુભૂતિ કરાવી હતી.કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી થઈ અંતમાં શાળા સંચાલક મંડળના કિશોરભાઈ શુક્લ દ્વારા સમાપન વક્તવ્ય યોજાયું હતુ. જ્ઞાનસભર આ કાર્યક્રમ સર્વે માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહ્યો હતો.




Latest News