મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલ સહિત કુલ 6 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે થયેલી વાતચીતનું લાગી આવતા નેપાળી યુવાને જીવન ટુંકાવ્યું


SHARE











મોરબીમાં પત્ની સાથે થયેલી વાતચીતનું લાગી આવતા નેપાળી યુવાને જીવન ટુંકાવ્યું

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમા ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નેપાળી ચોકીદારએ પત્ની સાથે બોલાચાલી થઇ હોવાથી લાગી આવતા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પત્નીએ મોરબી એ ડિવિઝનન પોલીસે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મૂળ નેપાળના કાલીકોટના વતની અને હાલમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમાં ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલ રૂમમાં રહેતો અને ત્યાં ચોકીદાર તરીકે કામ કરતો પરેક દુર્ગાભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉમર 28) નામના નેપાળી યુવાને રૂમમાં સીસીટીવી કેમેરાનું ડીવીઆર રાખવા માટેના સ્ટેન્ડની લોખંડની એંગલ સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું. ત્યારબાદ તેના મૃતદેહને તેના પત્ની પુષ્પાબેન પરેકભાઈ બીકે જાતે વિશ્વકર્મા (ઉંમર વર્ષ 24) મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરએ જોઇ તપાસીના મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મૃતકના પત્ની દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મૃતક યુવાનને તા.16-4 ના રોજ રાત્રે મોબાઈલ ફોનમાં તેના પત્ની સાથે બોલાચાલી થયેલ હતી જે બાબતે તેને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની આગળની વધુ તપાસ જે.એ.ઝાલા ચલાવી રહ્યા છે.






Latest News