મોરબી જેતપર રોડ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને કચડ્યું-યુવાનનું મોત, ૧૦૮ ની ટીમે ઇજાગ્રસ્ત પાસેની મોટી રકમ પરિવારનો સુપ્રત કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના પરિવારોને જીવનોપયોગી ભેટ વાંકાનેર પાસે ચોરાઉ સી.એન.જી. રિક્ષા સાથે શખ્સ ઝબ્બે મોરબીના નગર દરવાજા ચોક પાસે ઈકો ગાડીના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત મોરબીના બગથળા ગામે ઘરના ટાંકમાં પડી ગયેલ આધેડ મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત માળીયા (મી)ના મોટા દહીસરા ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત માળીયા (મી)ની રાખોડિયા વાંઢ નજીકથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ પકડાયો મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે સ્કોર્પિયોના ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારોને અયોધ્યા દર્શન કરાવવાનો સંકલ્પ


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા નિરાધારોને અયોધ્યા દર્શન કરાવવાનો સંકલ્પ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રામનવમી નિમિતે એક સંકલ્પ લેવામાં આવ્યો છે. અને આ વર્ષ દરમિયાન સમયાંતરે મોરબીના ૫૦૦ નિરાધાર લોકો માટે અયોધ્યામાં રામ ભગવાનના દર્શન માટે નિશુલ્ક લઈ જવામાં આવશે

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, ૫૦૦ વર્ષના લાંબા સંઘર્ષ બાદ સનાતન હિન્દૂ ધર્મના પાલનહાર અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામલલ્લા તેમની પાવન જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન થતા આખા દેશમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. દેશના દરેક લોકોને ભગવાન રામના દર્શન કરવાની અનેરી ઈચ્છા હોય છે ત્યારે ૫૦૦ નિરાધારોની ભગવાન રામની ભક્તિ કરવાની ઈચ્છા મનની મનમાં જ ન રહી જાય તે માટે અયોધ્યામાં શ્રીરામલલ્લાના દર્શન માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા તેઓને લઈ જવામાં આવશે તેવો રામનવમીએ સંકલ્પ કરવામાં આવેલ છે અને નિરાધાર લોકોની યાદી તૈયાર કરી તેમને સંપૂર્ણ ફ્રી માં અયોધ્યા દર્શન કરવા લઈ જવામાં આવશે. અને તેના માટે રજિસ્ટ્રેશન સહિતની તારીખો અને પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.






Latest News