મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા


SHARE











મોરબીમાં રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા-મહાઆરતીમાં ધારાસભ્ય સહિત હજારોની સંખ્યામાં લોકો જોડાયા

રામનવમીની ઠેરઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી શહેરમાં પણ રામનવમી નિમિતે સર્વ હિન્દુ સમાજ અને સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામનવમી નિમિતે યોજાયેલ શોભાયાત્રા અને મહાઆરતીના કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા

મોરબીમાં રામનવમી નિમિત્તે રામ મંદિરોમાં અને ગામોગામ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબીમાં સર્કિટ હાઉસથી બપોરે ચાર વાગ્યેથી શોભાયાત્રાનું શરૂ કરવામાં આવી હતી અને આ શોભાયાત્રાને હિન્દુ વિજય યાત્રા નામ આપવામાં આવ્યું હતું અને વિજય યાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરીને મહારાણા પ્રતાપ સર્કલશક્તિ ચોકત્રિકોણ બાગનવાડેલા રોડજુના બસ સ્ટેશનરામ ચોકશનાળા રોડનવા બસ સ્ટેશનબાપા સિતારામ ચોકએવન્યુ પાર્કસીતા ચોકચકીયા હનુમાનજીગાંધી ચોકશાક માર્કેટ ચોકનહેરૂ ગેઈટગ્રીન ચોક તઈ દરબારગઢ રામ મહેલ મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં રામ મહેલ મંદિરે ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી આ શોભાયાત્રા અને મહાઆરતીમાં સનાતની હિન્દુ સંગઠનના હોદેદારો, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા આ શોભાયાત્રામાં રામનો રથ, નાસિક ઢોલ સહિતના આકર્ષણો રાખવામા આવ્યા હતા અને મોરબીના નહેરુગેઈટના ચોકમાં લાઈવ ઓરકેસ્ટ્રાનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને ખાસ કરીને શોભાયાત્રામાં યુવાનો સહિતના ભગવા ધ્વજ અને કેસરી ઝભ્ભા પહેરીને આવ્યા હતા જેથી કરીને મોરબીમાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો અને ઠેરઠેર શોભાયાત્રાનું જુદાજુદા સમાજ અને સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોરબીના માર્ગો જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યા હતા






Latest News