મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે કેનાલમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE







મોરબીના શનાળા રોડે કેનાલમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસેથી પસાર થતી મચ્છુની કેનાલ પાસે વૃદ્ધ બેઠા હતા દરમિયાન તેને વાય આવવાની બીમારી હોય કોઈપણ કારણોસર તે કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં આવેલ પચ્ચીસ વારિયા સોસાયટીના આવાસમાં રહેતા અરૂણભાઇ દયાલજીભાઈ લખતરિયા જાતે વાણંદ (૬૫) નામના વૃદ્ધ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ નજીકથી પસાર થતી મચ્છુની કેનાલ પાસે હતા ત્યારે તેઓ કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન લાભુબેન દયાલજીભાઈ લખતરિયા (૬૫) રહે, કામધેનુ પાર્ટી પ્લોટ પાછળ પચ્ચીસ વારીયા સોસાયટી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મૃતક વૃદ્ધને છેલ્લા ઘણા સમયથી વાય આવવાની બીમારી હોય તે કોઈપણ કારણોસર કેનાલ પાસે હતા ત્યારે કેનાલના પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે તેવી માહિતી સામે આવી હોય પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે ચેકપોસ્ટ પાસેથી પસાર થઈ રહેલ મહિન્દ્રા બોલેરો પીકપ ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી ૨૮ બાચકા મળી આવતા તેને ચેક કરવામાં આવ્યા હતા જેથી કરીને તેમાંથી ૪૨૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસે ૮,૪૦૦ ની કિંમતનો દારૂ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને ૩,૦૮,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિજયભાઈ મોહનભાઈ મકવાણા જાતે કોળી (૨૧) રહે. રાજપરા તાલુકો ચોટીલા અને જયંતીભાઈ દેવશીભાઈ ચૌહાણ જાતે કોળી (૩૬) રહે. ચિરોડા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News