મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામની શાળાના બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયમાંની પરીક્ષામાં પાસ


SHARE







હળવદના સુરવદર ગામની શાળાના બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલયમાંની પરીક્ષામાં પાસ

હળવદ તાલુકાના સુરવદર ગામે આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા આપે છે અને આ પરીક્ષા ખૂબ જ અઘરી હોય છે અને આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ થી ૧૨ સુધી નિવાસી શાળામાં રહેવા તથા જમવાનો સાથેની ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ પરીક્ષામાં સુરવદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના છેલ્લા છ વર્ષથી દર વર્ષે પરીક્ષા આપે છે અને હાલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં આ શાળાના છ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ત્યારે વર્ષ ૨૦૨૪ માં ધો. ૬ માં પ્રવેશ માટે જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં શાળાના મૈયડ રુદ્ર સુરેશભાઈ તથા ખીમાણીયા નિમેષ ધીરુભાઈ આ બંને વિદ્યાર્થીઓ પાસ થઈને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે જે બદલ પ્રાથમિક શાળાના આચાર્ય સહિતા શૈક્ષણિક સ્ટાફ દ્વારા બંને વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી






Latest News