મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી: થાનગઢના જોગ આશ્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન


SHARE







મોરબી: થાનગઢના જોગ આશ્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબી જિલ્લાના ઘણા શ્રદ્ધાળુઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આવેલ જોગધ્યાનપુરા આશ્રમ સાથે જોડાયેલ છે અને ત્યાં જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટ દ્વારા તા. ૧૯. ૨૦ અને ૨૧ ના રોજ ત્રણ દિવસ નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

થાનગઢ ખાતે આવેલ જોગ આશ્રમ ગુરુ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ) ના સમાધિ સ્થળમાં નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાધુ, સંત-મહંત તેમજ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ જોગધ્યાનપૂરા આશ્રમ ખાતે યોજાનાર છે જેમાં વિશાળ સંખ્યામાં ભકતજનો પણ જોડાશે આ ધાર્મિક કાર્યક્રમમાં શાસ્ત્રી કૌશિકભાઈ અનંતરાય ત્રિવેદી (રાજકોટવાળા) દ્વારા કર્મકાંડ વિશારદ, જયોતિષાચાર્ય, ભાગવતભુષણ દ્વારા વિધીવિધાન પૂર્વક સંપન્ન થશે ત્યારે આ દિવ્ય મહોત્સવને માણવા તેમજ યજ્ઞ નારાયણના દર્શન, મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News